માથ્થી ૧૧:૬
જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.”માથ્થી ૧૧:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 11:6
- Blessed is he who finds no occasion for stumbling in me.”
- हिन्दी — मत्ती ११:६
- और धन्य है वह, जो मेरे कारण ठोकर न खाए।”
સંદર્ભમાં
૪ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમે જે જે સાંભળો છો તથા જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો.
૫અંધજનો દેખતા થાય છે, અપંગો ચાલતા થાય છે, રક્તપિત્તના રોગીઓ શુદ્ધ કરાય છે, બહેરાઓ સાંભળતાં થાય છે; મૃત્યુ પામેલાઓ સજીવન થાય છે, તથા દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે.
૬જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.”
૭જયારે તેઓ જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા કે, “તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને?
૮પણ તમે શું જોવા નીકળ્યા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? ખરેખર, જે એવાં વસ્ત્રો પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે.
