ગણના ૨૬:૧૧
તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહિ.ગણના ૨૬:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 26:11
- Notwithstanding, the sons of Korah didn’t die.
- हिन्दी — गिनती २६:११
- परन्तु कोरह के पुत्र तो नहीं मरे थे ।
સંદર્ભમાં
૯અલિયાબના દીકરા: નમુએલ, દાથાન તથા અબિરામ હતા. દાથાન તથા અબિરામ જેઓ કોરાહને અનુસરતા હતા જ્યારે તેઓએ મૂસા તથા હારુનની સામે બંડ પોકારીને યહોવાહ સામે બળવો કર્યો તે એ જ હતા.
૧૦જયારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે પૃથ્વી પોતાનું મુખ ખોલીને તેઓને કોરાહ સહિત ગળી ગઈ. તે જ સમયે અગ્નિએ બસો પચાસ માણસોનો નાશ કરી નાખ્યો જેઓ ચિહ્નરૂપ થઈ પડ્યા.
૧૧તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહિ.
૧૨શિમયોનના વંશજોનાં કુટુંબો નીચે પ્રમાણે છે: નમુએલથી નમુએલીઓનું કુટુંબ. યામીનથી યામીનીઓનું કુટુંબ. યાખીનથી યાખીનીઓનું કુટુંબ,
૧૩ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ. શાઉલથી શાઉલીઓનું કુટુંબ.
