યર્મિયા ૩૪:૧૨
તેથી યહોવાહ નું વચન યર્મિયાની પાસે આવ્યું અને કહ્યું;યર્મિયા ૩૪:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 34:12
- Therefore the LORD’s word came to Jeremiah from the LORD, saying,
- हिन्दी — यिर्मयाह ३४:१२
- तब यहोवा की ओर से यह वचन यिर्मयाह के पास पहुँचा
સંદર્ભમાં
૧૦બધા જ સરદારો અને લોકો એવા કરારના બંધનમાં આવ્યા હતા કે, દરેક પોતાના દાસ અને દાસીને મુકત કરે તથા તેઓને હવે ગુલામ તરીકે ન રાખવા એ કરારનું પાલન કરી તેઓએ તેઓને મુક્ત કર્યા.
૧૧પણ પાછળથી તેઓનાં મન બદલાઈ ગયાં અને જે દાસો અને દાસીઓને મુક્ત કર્યા હતા તેઓને તેઓએ ફરીથી પોતાના ગુલામ બનાવ્યા. અને તેઓને ગુલામો તરીકે રાખ્યા.
૧૨તેથી યહોવાહ નું વચન યર્મિયાની પાસે આવ્યું અને કહ્યું;
૧૩યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જયારે હું તમારા પિતૃઓને મિસર દેશમાંથી એટલે દાસત્વના ઘરમાંથી બહાર કાઢી લાવ્યો. ત્યારે મેં તેઓની સાથે કરાર કરીને કહ્યું હતું કે,
૧૪‘તારા જે હિબ્રૂભાઈને તેં વેચાતો લીધો છે. અને જેણે છ વર્ષ તમારી ગુલામી કરી હોય, તેને તમારે સાતમે વર્ષને અંતે છોડી મૂકવો.’ પરંતુ તમારા પિતૃઓેએ મારું કહ્યું સાંભળ્યું નહિ અને તેના પર ધ્યાન પણ આપ્યું નહિ.
