Skip to content
Methodist Church Nadiad

નહેમ્યા ૭

100%

જયારે કોટનું બાંધકામ પૂરું થયું અને મેં દરવાજાઓ ઊભા કર્યા, ત્યારે દ્વારપાળો, ગાનારાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી.

મેં મારા ભાઈ હનાની અને કિલ્લાના અમલદાર હનાન્યાને યરુશાલેમનો હવાલો સોંપ્યો. કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા બધા કરતાં ઈશ્વરથી વિશેષ ડરનારો હતો.

અને મેં તેઓને કહ્યું, “દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ખોલવા નહિ અને જ્યારે ચોકીદારો ચોકી કરતા હોય ત્યારે તેઓએ દરવાજાનાં બારણાં બંધ રાખવાં. યરુશાલેમના રહેવાસીઓમાંથી તમારે ચોકીદારો નીમવા. દરેક જણ નિયત જગ્યાએ ચોકી કરે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે.”

નગર ખૂબ વિસ્તારવાળું હતું. પણ તેમાં લોકો થોડા જ હતા અને ઘરો હજુ બંધાયાં નહોતા.

મારા ઈશ્વરે મારા હૃદયમાં એવી પ્રેરણા કરી કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ સૌથી પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીની યાદી મને મળી. તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે.

“બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જે લોકોને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા હતા, તેઓમાંના જે લોકો યહૂદિયાનાં પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા,

એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાનાહની સાથે આવ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકોના પુરુષોની સંખ્યાવાર યાદી આ પ્રમાણે છે.

પારોશના વંશજો બે હજાર એકસો બોતેર,

શફાટયાના વંશજો ત્રણસો બોતેર,

૧૦આરાહના વંશજો છસો બાવન,

૧૧યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર,

૧૨એલામના વંશજો એક હજાર બસો ચોપન,

૧૩ઝાત્તૂના વંશજો આઠસો પિસ્તાળીસ,

૧૪ઝાકકાયના વંશજો સાતસો આઠ.

૧૫બિન્નૂઈના વંશજો છસો અડતાળીસ,

૧૬બેબાયના વંશજો છસો અઠ્ઠાવીસ,

૧૭આઝગાદના વંશજો બે હજાર ત્રણસો બાવીસ,

૧૮અદોનિકામના વંશજો છસો સડસઠ.

૧૯બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ,

૨૦આદીનના વંશજો છસો પંચાવન,

૨૧હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું,

૨૨હાશુમના વંશજો ત્રણસો અઠ્ઠાવીસ.

૨૩બેસાયના વંશજો ત્રણસો ચોવીસ,

૨૪હારીફના વંશજો એકસો બાર,

૨૫ગિબ્યોનના વંશજો પંચાણું

૨૬બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી.

૨૭અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી,

૨૮બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ,

૨૯કિર્યાથ-યારીમના કફીરાના તથા બેરોથના વંશજો સાતસો તેંતાળીસ,

૩૦રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ.

૩૧મિખ્માશના વંશજો એકસો બાવીસ,

૩૨બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ,

૩૩નબોના વંશજો બાવન,

૩૪બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન.

૩૫હારીમના વંશજો ત્રણસો વીસ,

૩૬યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,

૩૭લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ,

૩૮સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.

૩૯યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,

૪૦ઈમ્મેરના વંશજો એક હજાર બાવન,

૪૧પાશહૂરના વંશજો એક હજાર બસો સુડતાળીસ,

૪૨હારીમના વંશજો એક હજાર સત્તર.

૪૩લેવીઓ: યેશૂઆના તથા કાદમીએલના વંશજો, હોદેવાના વંશજોમાંના ચુંમોતેર.

૪૪ગાનારાઓ: આસાફના વંશજો એકસો અડતાળીસ.

૪૫દ્વારપાળો: શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કુબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો એક સો આડત્રીસ.

૪૬ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો,

૪૭કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો,

૪૮લબાનાના વંશજો, હગાબાના વંશજો, શાલ્માયના વંશજો,

૪૯હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગહારના વંશજો.

૫૦રાયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો,

૫૧ગાઝ્ઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆના વંશજો,

૫૨બેસાઈના વંશજો, મેઉનીમના વંશજો, નફીસીમના વંશજો.

૫૩બાકબુકના વંશજો, હાકૂફાના વંશજો, હાર્હૂરના વંશજો,

૫૪બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો,

૫૫બાર્કોસના વંશજો, સીસરાના વંશજો, તેમાના વંશજો,

૫૬નસીઆના વંશજો અને હટીફાના વંશજો.

૫૭સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,

૫૮યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો,

૫૯શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો.

૬૦ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા.

૬૧તેલ-મેલાહ, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઈમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પૂર્વજોના કુટુંબો તથા પોતપોતાના વંશજો બતાવી શક્યા નહિ.

૬૨દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો છસો બેતાળીસ.

૬૩યાજકોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાયના વંશજો. બાર્ઝિલ્લાયે ગિલ્યાદી દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું, તેથી તેઓનાં નામ પરથી તેનું નામ એ પડ્યું.

૬૪જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની નોંધ શોધી, પણ તે મળી નહિ, માટે તેઓ યાજકપદમાંથી ફરિગ કરાયા.

૬૫આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.

૬૬સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા.

૬૭તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ મળીને સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા. તેઓમાં ગાનારાઓ તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતા.

૬૮તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા , તેઓનાં ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં,

૬૯તેઓનાં ઊંટો ચારસો પાંત્રીસ અને તેઓના ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં.

૭૦પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.

૭૧પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર બસો માનેહ ચાંદી ભંડારમાં આપ્યાં હતાં.

૭૨બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક , બે હજાર માનેહ ચાંદી તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં.

૭૩તેથી યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો, કેટલાક લોકો, તથા સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા. સાતમા માસમાં ઇઝરાયલી લોકો પોતપોતાના નગરોમાં આવીને વસ્યા.”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.